ઉત્તરપ્રદેશના હાથરસમાં મોટી દુર્ઘટના: સત્સંગ કાર્યક્રમ દરમિયાન થયેલી ભાગદોડમાં 122 લોકોના મોત, 150 લોકો ઘાયલ; હોસ્પિટલની બહાર મૃતદેહના ઢગલા
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan02072024_124221_225.webp)
- 02 Jul, 2024
ઉત્તરપ્રદેશના હાથરસ સ્થિત રતિભાનપુરમાં એક સત્સંગ કાર્યક્રમ દરમિયાન ભાગદોડ થઈ હતી. ભાગદોડના પગલે 122 લોકોના મોત થયા છે અને 150 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં મહિલાઓ અને બાળકોની સંખ્યા વધુ હોવાની વાત કહેવાઈ રહી છે. હાલ સ્થિતિ એવી છે કે હોસ્પિટલની બહાર જ મૃતદેહોના ઢગલા દેખાઈ રહ્યાં છે. ઘટના સ્થળે હાલ પોલીસ અને સ્થાનિકોની મદદથી બચાવ-રાહત કામગીરી કરવામાં આવી રહી છે.
સીએમઓનું કહેવું છે કે મૃતકોનો આંકડો હજી વધે તેવી શક્યતા છે, કારણ કે હાલ સતત ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યાં છે. ઘટનાની પ્રત્યક્ષ દર્શી મહિલાએ આ અંગે જણાવ્યું કે, સત્સંગમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી. સત્સંગ પૂર્ણ થયા બાદ લોકો ત્યાંથી નીકળવા લાગ્યા હતા પરંતુ આ દરમિયાન જલ્દી નિકળવાની ઉતાવળમાં લોકોમાં ભાગદોડ મચી હતી અને લોકો એકબીજાને જોઇ પણ નથી રહ્યા હતા. ઘણી મહિલાઓ અને બાળકો આ ઘટનામાં પડી ગયા હતા અને લોકોની ભીડ તેમના ઉપરથી ભાગી રહી હતી અને ત્યાં હાજર લોકોમાંથી કોઇએ તેમની મદદ ન કરી હતી.